ભારતનો ઇતિહાસ
ભારતનો ઇતિહાસ
૧. ઝાલાવાડ વિસ્તારમાં પશુપાલકો એક વિશિષ્ટ પ્રકારનો રાસ રમે છે તેને કયા નામથી ઓળખવામાં આવે છે ?
જવાબ- હુડો
૨. હોજે કુતુબ નામનું સરોવર અત્યારે કયા નામે ઓળખાય છે ?
જવાબ - કાંકરિયા તળાવ
૩. ન્યાય નું પ્રતીક મલાવ તળાવ કોણે બંધાવ્યું હતું ?
જવાબ -મીનળદેવી
૪. અડી કડી વાવ અને નવઘણ કુવો ક્યાં આવેલો છે ?
જવાબ -જુનાગઢ
૫. દક્ષિણ ભારતના મંદિરોની વિશેષતા કઈ છે ?
જવાબ - ગોપુરમ (મંદિરનું પ્રવેશદ્વાર)
૬. એવુ કયુ મંદિર છે જે સાત અશ્વો વડે ખેંચાતા સૂર્યના રથ જેવું છે જેને ૧૨ વિશાળ પૈડા છે ?
જવાબ - કોણાર્ક નું સૂર્ય મંદિર
૭. રાજપૂત યુગ માં જમીન પરનો કર કયા નામે ઓળખાતો હતો ?
જવાબ - ભાગ
૮. ઢાઈ દિન કા ઝોપડા શું છે અને તે ક્યાં આવેલું છે ?
જવાબ - મસ્જિદ ,અજમેર
૯. દિલ્હીની ગાદી ઉપર આવનાર પ્રથમ મહિલા શાસક કોણ હતી ?
જવાબ - રઝિયા સુલતાના
૧૦. કયા મુઘલ શાસક નું અવસાન પુસ્તકાલયના પગથીયા પરથી પડી જવાથી થયું હતું ?
જવાબ - હુમાયુ
૧૧. કયા મુઘલ શાસક નો જન્મ હિન્દુ રાજપુત રાજા ના ઘેર થયો હતો ?
જવાબ- અકબર
૧૨.હલ્દીઘાટીનું યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું
જવાબ - અકબર અને મહારાણા પ્રતાપ વચ્ચે
✍️અશોક ડાભી
Good knowledge
ReplyDelete